*લીંબુનું શરબત
* ગૅસ, અજીર્ણ, અરુચિમાં લીંબુ શરબત
આપવાથી ફાયદો થાય છે.
* ઝાડા, ઊલટી કે કૉલેરા થયા હોય તેવા દર્દીને ઊકાળીને અડધું કરેલું પાણી વાપરી શરબત
બનાવીને આપવાથી ફાયદો થાય છે.
*વરિયાળીનું શરબત
*આ શરબત પીવાથી તરસ છીપે છે. થાક ઉતરે છે. ભોજન
માટે રુચિ પેદા થાય છે. ભૂખ લાગે છે.
*ગુલાબનુંશરબત
*ગરમીના રોગોને અટકાવે છે અને મટાડે છે. કબજિયાતના દર્દી માટે તો ખૂબ ફાયદાકારક છે.
*તરબૂચ
* તરબૂચ ખાવાથી તરસ છીપે છે.
*યકૃતના સોજામાં કે દુર્બળતામાં તે લાભદાયી છે.
* ગરમીને કારણે માથાનો દુખાવો થયો હોય તો તેમાં તરબૂચનું શરબત રાહત આપે છે.
*સક્કરટેટી
*સક્કરટેટી કબજિયાત દૂર કરનાર, બળ આપનાર તેમજ શીતળતા આપનાર છે.
* પેશાબ સાફ લાવે છે અને પેશાબ વધારે છે.
*પપૈયું
* ખાવાની રુચિ ઉત્પન્ન કરનાર, ઝાડો
અને પેશાબ સાફ લાવનાર.
*યકૃત, બરોળ વગેરેના રોગોમાં ઉપયોગી છે.
* આંતરડાના કૃમિ બહાર કાઢે છે.
*સંતરા
* તરસ, બળતરા અને અરુચિને દૂર કરે છે.
* લોહી શુદ્ધ થાય છે, ભૂખ ઉઘડે છે,પાચનશક્તિ વધે છે, કૃમિ નાશ પામે છે,
આંતરડાને સાફ કરે છે.
* આ તેલ સૌંદર્ય-પ્રસાધન તરીકે
તેમજ દવાઓમાં વપરાય છે.
*જાંબું
* જાંબું ભૂખ લગાડનાર, લોહી શુદ્ધ કરનાર તેમજ બરોળ અને પાંડુરોગમાં ઉપયોગી છે.
*જાંબુંના ઠળિયાં પણ ઔષધિ તરીકે ઉપયોગી છે.
*સીતાફળ
* શક્તિ આપે છે, ગુણમાં ઠંડાં છે, લોહી વધારે છે.
*નાળિયેર
* લીલાં નાળિયેરનું પાણી પચવામાં હલકું છે,ભૂખ લગાડનાર અને તરસ છીપાવનાર છે. પેશાબને સાફ
લાવે છે.
*શ્રીફળમાંથી કોપરું નીકળે છે તે શક્તિવર્ધક છે, વજન વધારે છે.
* સુકું કોપરું માંસવર્ધક અને દાહને મટાડનાર છે.
*કોપરામાંથી નીકળતા તેલને કોપરેલ કહેવાય તે ખોરાક તરીકે તથા વાળમાં નાખવાના તેલ તરીકે ઉપયોગ થાય છે.
*ઔષધ તરીકે કોપરેલ ઘા-જખમને રૂઝાવનાર તેમજ બળતરા મટાડનાર છે.
*અજમો
*અજમો ખાવાથી જમવામાં રુચિ પેદા થાય છે, ભૂખ લાગે છે અને ખોરાકનું પાચન સારી રીતે થાય છે.
*પેટમાં દુખાવો, ઉબકા,ઉધરસ
વગેરેમાં ઉપયોગી છે.
*આદું
* ખોરાકને
પચાવે છે, રુચિ પેદા કરી ભૂખ લગાડે છે.
* આદું મોંમાં રાખવાથી અવાજ ચોખ્ખો અને સારો થાય છે.
* મંદાગ્નિ, શરદી, ઉધરસ
વગેરેમાં ઉપયોગી છે.
*આમલી
* ભૂખ
લગાડે, ખોરાકનું પાચન કરે, મળશુદ્ધિ કરાવવાનો ગુણ પણ છે.
* અરુચિ દૂર કરે છે, લૂ લાગી હોય તો રાહત આપે છે.
*કોકમ
* જઠરાગ્નિને
સતેજ કરે છે, તરસ ઓછી લાગે છે
* ચીકણા
ઝાડા થતા હોય તેમણે કોકમનો ખાસ ઉપયોગ કરવો.
* ખટાશ ખાવાની મનાઇ છે ત્યાં ત્યાં કોકમનો ઉપયોગ થઇ શકે છે.
*કોથમીર
* રુચિ
પેદા કરી ભૂખ લગાડે છે, પાચન કરાવે છે.
* ગરમ ઋતુમાં કોથમીર ખાવાથી ફાયદો થાય.
*જીરું
* ભૂખ
લગાડે, ખોરાકનું પાચન કરાવે છે.
* ઝાડા, આફરો, મંદાગ્નિ વગેરેમાં ઉપયોગી છે.
*ધાણા
* તરસ, દાહ, ઝાડા
વગેરેમાં ઉપયોગી છે.
*ફુદીનો
* શરદી, ગૅસ
વગેરે મટાડે છે.
*મરચું
* ખોરાકમાં
રુચિ પેદા કરે, ભૂખ લગાડે, પાચન કરાવે છે.
*મરી
* મરી
કફ અને વાયુના રોગોમાં ખાસ વપરાય છે.
* પાચનશક્તિને સતેજ કરવાનો ગુણ છે.
* શરદી, ઉધરસ, શિરશૂળ, ચક્કર વગેરે મટાડે છે.
*મીઠું
* ઝેર
પેટમાં ગયું હોય તો તે દર્દીને ઊલટી કરાવી નાખવા રાઇ અને મીઠાનાચૂર્ણને મેળવી પાયાકરવું.
* અરુચિ દૂર કરવા લીંબુની ફાડમાં મીઠું ભભરાવીને ચૂસવું.
*મીઠો લીમડો
* રુચિ
પેદા કરે, ભૂખ લગાડે અને પાચન કરાવે.
*મેથી
* ભૂખ
લગાડે, પચવામાં હલકી છે.
* કેડનો દુખાવો, એડીનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે મટાડે છે.
* દાડમ
* દાડમ
ખાવાથી શરીરમાં બળતરા અને તાવ દૂર થાય, ખૂબ ઝાડા થઇ ગયા
હોય તો દાડમથી અંકુશ આવે છે.
* પેટમાં થતી કૃમિ, મોંમાં થતાં ચાંદા મટાડે છે.
* દાડમમાં લોહતત્વ વધારે હોય છે.
* કેરી
* કેરી લોહી અને માંસની વૃદ્ધિ કરે છે. આંતરડા સાંફ રાખે છે, વજન વધારે છે, શરીરનો વાન ઊજળો કરે છે.
*કેરીમાં વિટામિન ‘એ’ ભરપૂર પ્રમાણમાં હોય છે.
* આંબળાં
* આંબળાંમાં
વિટામિન ‘સી’ અને લોહતત્વ રહેલાં છે.
* આંબળાં લોહીને શુદ્ધ કરે છે,આંખોનું
તેજ વધારે છે.
* શરીરની ગરમીને ઓછી કરે છે. નવું
લોહી ઉત્પન કરે છે. આરોગ્ય અને આયુષ્ય વધારનાર છે
*બોર
* બોર રુચિકર અને સ્ફુર્તિદાયક છે. બોરનું
ફળ મળ સાફ લાવે છે.
*શરીરને શક્તિ આપે છે, થાક મટાડે છે,હૃદયને
બળ આપે છે, બાળકોને કૃમિ મટાડે છે.
*જમરૂખ
* જમરૂખને જામફળ નામથી ઓળખાય છે. તે સાત્વિક, બુદ્ધિવર્ધક યાદશક્તિ
વધારનાર,ખાવામાં રુચિકર ફળ છે.
* તે ઠંડકનો ગુણ ધરાવતું ફળ છે, ચક્કર
આવતાં હોય,પેટમાં કૃમિની ફરિયાદ હોય, કબજીયાત
રહેતી હોય તે સૌને માટે જામફળ ખાવું હિતાવહ છે.
*સૂકી કાળી દ્રાક્ષ
*દ્રાક્ષ ખાવાથી શક્તિ, સ્ફુર્તિ, વજન
અને શરીરસૌંદર્ય પ્રાપ્ત થાય છે.
* તે આંખોનું તેજ વધારે છે, સ્વર
ચોખ્ખો થાય છે, કબજિયાત દૂર થાય, થાક લાગ્યો હોય તો ઊતરી જાય છે.
* દ્રાક્ષના રસમાંથી દ્રાક્ષાસવ જેવી ઔષધિપણ બનેછે.
*ખારેક- ખજૂર
*ખજૂર લોહતત્વથી ભરપૂર શક્તિવર્ધક ફળ છે. શરીર મજબૂત અને બળવાન બને, વજન વધે.
* લીમડો
* લીમડો ચામડીના રોગોમાં ઉપયોગી છે. લીમડાના મોરનો રસ પીવાથી ચેપી રોગ, મૅલેરિયા
તાવને પણ મટાડે છે.
*પેટમાં થયેલા કૃમિને પણ દૂર કરે છે, લીમડો
હવાને પણ શુદ્ધ કરે છે.
*તુલસી
*વાયું, કફ, સોજો, ક્રુમિ, અને ઊલટીનો નાશ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારી અનેક રોગો સામે રક્ષણ આપે છે.
*શરદી, ખાસી, શ્વાસ, કફના રોગોમાં તુલસીના રસને આદુના રસ અને મધ સાથે પીવાથી ફાયદો થાયછે.
*ગરમાળો
* ગરમાળો મધુર, શીતળ ને મૃદુરેચક છે. જે
શૂળ, તાવ, ચામડીના રોગો, કબજિયાત, કૃમિ
વગેરેમાં ઉપયોગી છે.
* ગરમાળાની શીંગમાંથી નીકળેલ ગોળ બાળકોના કબજિયાતમાં સુખ વિરેચન તરીકે વપરાય છે.
*કુવારપાઠું
*કુવારપાઠું એક દિવ્ય ઔષધિ છે અને તેનો ઘણા બધા રોગોમાં ઉપયોગ થાય છે સ્ત્રીઓ માટે તે આશીર્વાદ સમાન છે.
*પિતદોષો, ખાંસી, પ્લીહાના
રોગો, યકૃતના રોગો, તાવ, ગાંઠો, ચામડીના રોગો તથા પેટના રોગોમાં કુંવારનો રસ હળદર નાંખીને પીવાથી ફાયદો થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો